Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

જીજીઆરસી યોજનામાં અનેક મુશ્કેલીઓ : મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન : આચારસંહિતા અંગે ધ્યાન દોરાયું

મટીરીયલ વીમો -૧ર ટકા જીએસટી -ફુવારા પધ્ધતિ સહિતના મુદ્દાઓ પણ જણાવાયા...

માઇક્રો ઇરીગેશન ડીલર એસો. દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવાયું છે. (૯.૮)

રાજકોટ, તા.,૧રઃ  માઇક્રો ઇરીગેશન ડીલર એસો.એ કલેકટરને આવેદન પાઠવી, મુખ્યમંત્રીને સંબોધી જીજીઆરસી યોજનામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ કરવા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ -ર૦૦પ થી ગુજરાતના  ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પદ્ધતિની સહશાય અને ટેકનોલોજી મળે તે હેતુથી પારદર્શક વહીવટ સાથે જીજીઆરસી યોજના ચાલુ કરી હતી. આ યોજના થકી જ ગુજરાતના ખેડૂતો સુધી ટપકની ટેકનોલોજી પહોંચી અને અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ખેડૂતો આ સિસ્ટમ વસાવીને પાણીની બચત કર, ઉત્પાદન વધારીને પોતાની ખેતીની ટકાવી શકયા છે. અને અન્ય રાજયો પણ જીજીઆરસીનું અનુકરણ કરતા થયા છે.

હાલમાં જીજીઆરસી યોજના બહુ સર રીતે ચાલી રહી છે અને સરકાર પણ ખેડૂતો માટે પ્રસંસનીય કામગીરી કરી રહી છે ત્યારે હજુ પણ ખેડૂતો સરળતાથી આ સિસ્ટમ વસાવી શકે તે માટે આ યોજનામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે એનુ આપના દ્વારા તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી છે.

આ મુશ્કેલીઓનાં ૧૦૦ ટકા નળીઓ પાથરીને ટેંકરો દ્વારા કુવામાં પાણી નાંખી ટ્રાયલ રન કરાવાય છે તેને સંકેેલેલ નળીઓ ખેતરના શેઢે રાખીને ફીજીકલ વેરીફેીકેશન કરાય તો પ્રશ્ન હલ થઇ શકશે.

આ ઉપરાંત જીજીઆરસીમાં એક એવો નિયમ હતો કે ટપક કે ફુવારા વસાવેલ ખેડુતોને ૭ વર્ષ થયા પછી ફરી સહાય મેળવવા માટે પાત્રતા ધરાવતા અને અન્ય ખેડુત જેટલી સહાય મળવા પાત્ર થતી. પરંતુ ગુજરાત સરકારના ઠરાવ થી એવો નિયમ આવ્યો કે ૭ વર્ષ પછી ફરી જે ખેડુતો ટપક વસાવવા માંગતા હોઇ તો તેની સહાય ૭૦ ટકાથી ઘટાડી નાના ખેડુતો માટે પપ ટકા અને મોટા ખેડુતો માટે ૪પ ટકા કરવામાં આવી. અન્ય રાજયોમાં પણ ૭ વર્ષ પછી ડ્રીપ વસાવવા માંગતા ખેડુતોને અન્ય ખેડુત જેટલી જ સહાય આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ એ સહાય ૭૦ ટકા રાખવામાં આવે તે અંગે યોગ્ય કરવા વિનંતી છે. આ ઉપરાંત સ્પીન્સર વસાવેલ. ખેડુતો ડ્રીપ સીરીયન વસાવી શકતા ન હોય તે ચાલુ કરવા. ટપક અને ફુવારા પિયત પધ્ધતીના ઉપકરણ પર ૧૨ ટકા જીએસટી છે તેને પ ટકા કરવામાં આવે અથવા જીએસટીની રકમ ઉપર સબસીડી આપવામાં આવે તો ખેડુતો પર મોટો બોજો ના પડે અને ખેડુતો પર સરકારની નકારાત્મક અસર ના થાય. આ સીસ્ટમ વસાવતા ખેડુતોના મટીરીયલનો વીમો જીજીઆરસી દ્વારા ઉતારવામાં આવે છે. જેમાં વીમાનું કવરેજ ટ્રાયલ રનના પછીના મહીનાથી ચાલુ થાય છે. જેને અંદાજીત બે મહીના જેવો સમય ગાળો લાગે છે. આ ગાળા દરમ્યાન મટીરીયલ ચોરાઇ જાય, સળગી જાય કે વરસાદને લીધે તણાઇ જાય તેવા કેશમાં ટ્રાયલ રન થતો નથી અને ખેડુતને સહાય મળતી નથી તો વીમો મટીરીયલ સપ્લાયની તારીખથી ચાલુ થાય તે અંગે ઘટતું કરવા માંગણી કરાઇ હતી  તથા આગામી લોકસભા ચુંટણી દરમિયાન જીજીઆરસી યોજનાને આચારસંહિતા લાગુ ન પાડવા માંગણી કરાઇ હતી. (૪.૮)

 

(4:05 pm IST)