Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

રાજપુત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહજી કાલવી રાજકોટમાં : ભવ્ય સ્વાગત

જામનગર ખાતે ક્ષત્રિય મહિલા સંગઠન આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે

રાજકોટઃ જામનગર ખાતે ક્ષત્રીય મહિલા સંગઠન દ્વારા આયોજીત કાર્યક્રમમા હાજરી આપવા શ્રી રાજપૂત કરણીસેના ના શીર્ષ સંસ્થાપક સન્માનીય લોકેન્દ્રસિંહજી કાલવી સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાના તેમજ રાષ્ટ્રીય પ્રભારી પ્રહલાદ સિંહજી ખીચી બપોરે રાજકોટ આવ્યા હતા.  તેઓનુ રેલ્વે સ્ટેશન ખાતે ફુલહાર થી સ્વાગત કરવામાં આવેલ  આ પ્રસંગે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત ના હોદેદારો લક્કીરાજસિંહ ઝાલા જે.પી.જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ ખાટડી, કર્ણદેવસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા , ભરતસિંહ જાડેજા, પૃથ્વીસિંહ પરમાર,ભવદીપસિંહ ચૌહાણ, સુરપાલસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, શિવરાજભાઈ ખાચર, અજયસિંહ જાડેજા, રાજદીપસિંહ ચુડાસમા, ચંદ્રદીપસિંહ જાડેજા, સહદેવસિંહ ચુડાસમા, શકિતસિંહ પરમાર, રાજવીરસિંહ વાળા વગેરે હાજર રહ્યા . આજે સાંજે જામનગર ખાતે ક્ષત્રિય મહિલા સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં શ્રી લોકેન્દ્રસિંહજી કાલવીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહજી મકરાના સહિતના આગેવાનો હાજરી આપનાર છે. રેલ્વે સ્ટેશન ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા ફુલહારથી સ્વાગત કરાયું તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા ) (૪૦.૧૨)

(4:00 pm IST)