Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતાનો સોમવારે પ્રાગટ્યોત્સવ : શોભાયાત્રા નીકળશે

સંતો - મહંતોના હસ્તે દિપપ્રાગટ્ય : વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત - સન્માન

રાજકોટ : જય માંધાતા સૂર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.૧૪ને સોમવારે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ તકે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે.

શોભાયાત્રાનો પ્રારંભ તા.૧૪ના સવારે ૮ કલાકે મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલ ૮૦ ફૂટ ચોકડી ભાવનગર રોડથી થશે જે શહેરના રાજમાર્ગો ચુનારાવાડ ચોક, અંબિકાનગર, સીતારામ સોસાયટી, કે.ડી. કોમ્પલેક્ષ, પારેવડી ચોક, ત્રિકોણબાગ, ભકિતનગર, સોરઠીયાવાડી સર્કલ થઈ હોલ પર પૂર્ણ થશે. દીપ પ્રાગટ્ય સંતો સર્વશ્રી વાલજી ભગત ઠાકરધણી - કાળાસરની જગ્યા, મહંત મોહનબાપુ આણંદપર, મહંત હરીબાપુ- રામાધણી સતરંગની જગ્યા, દેવ વીરજી ભગત, દેવાબાપાની જગ્યા ઠીકરાયાળા, દેહાભગત-રામાધણી મંછાનગરના હસ્તે થશે.

આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજયમંત્રી પરસોતમભાઈ સોલંકી, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, સાંસદ દેવજીભાઈ ફતેપરા ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની સફળતા માટે માંધાતા સૂર્યવંશી ગ્રુપના ટ્રસ્ટીઓ પ્રમુખ મનસુખભાઈ ભાદાભાઈ ગોવાણી, ઉપપ્રમુખ ગોરધનભાઈ ચનાભાઈ કુમારખાણીયા, નાણામંત્રી સુરેશભાઈ મોહનભાઈ ગણદીપા, સહમંત્રી જીતુભાઈ ઝાપડીયા, સમસ્ત ટ્રસ્ટીગણ સાથે કારોબારી સમિતિ સલાહકાર સમિતિ મહિલા સંગઠન, કોળી સમાજ સંગઠન, વિવિધ પદાધિકારી સહિત સેવાકર્મીઓ કાર્યરત છે.(૩૭.૧૩)

(3:49 pm IST)