Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

મકરસંક્રાંતિએ વિજયભાઈ રાજકોટમાં

'વ્હીલ ઓન વિઝડમ' બસની ફલેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપશેઃ રાત્રી રોકાણ સર્કીટ હાઉસમાં: મંગળવારે સવારે ગાંધીનગર જવા રવાના

રાજકોટ,તા.૧૨: ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેરમાં બપોરે ૩:૪૦ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આગમન કરશે. ત્યાર બાદ ''વ્હીલ ઓન વિઝડમ''ની બસની ફલેગ ઓફ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ સાંજે ૪ વાગ્યાથી સર્કીટ હાઉસ,રાજકોટ ખાતે અનામત રહેશે તેમજ રાત્રી રોકાણ સર્કીટ હાઉસ ખાતે કરનાર છે. તા.૧૫ના મંગળવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સવારે ૮ કલાકે ગાંધીનગર જવા માટે રાજકોટ એરપોર્ટથી જવા રવાના થશે.

 

(11:50 am IST)