Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મઝદૂર સંઘ-આંગણવાડી કર્મચારી સંઘના હોદ્દેદારોની વરણી

 રાજકોટઃ ભારતીય મઝદૂર સંઘ, રાજકોટ જિલ્લા તથા આંગણવાડી કર્મચારી સંઘનું સંમેલન રાજકોટ ખાતે યોજાયેલ, વાર્ષિક હિસાબો તથા જનરલ સેક્રેટરી રિપોર્ટ રજુ થયા બાદ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હોદ્દેદારોની વરણી કરાતા ભારતીય મઝદૂર સંઘ, રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે મહેશભાઇ વેકરીયા તેમજ જિલ્લા મંત્રી તરીકે મહેન્દ્રભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવેલ હતી. એ જ રીતે રાજકોટ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ તરીકે પ્રીતીબેન કણઝારીયા, કાર્યકારી અધ્યક્ષ તરીકે નયનાબેન ત્રિવેદી, જિલ્લા મંત્રી તરીકે ભાવિકાબેન ચાંઉ તથા બંને યુનિયનમાં ખજાનચી તરીકે હરિભાઇ પરમારની વરણી કરવામાં આવેલ. આ ઉપરાંત ભારતીય મઝદૂર સંઘ જિલ્લા તથા આંગણવાડીમાં મહિલા મંત્રી તરીકે અરૂણાબેન દાવડાની વરણી કરવામાં આવેલ. સંમેલનમાં મહેશભાઇ વેકરીયા, મહેન્દ્રભાઇ ત્રિવેદી, ભાવિકાબેન ચાંઉ તથા ભારતીય મઝદૂર સંઘના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેએ માર્ગદર્શન આપેલ હતું. પ્રદેશ મંત્રી સહદેવસિંહ જાડેજા તથા આંગણવાડી વિભાગ મંત્રી સરસ્વતિબેન જેઠવાએ તેમના પ્રવચનમાં સંગઠન વધારવા પર ભાર મુકેલ હતો. બીએસએનએલના ઠક્કરભાઇએ સભ્ય સંખ્યા ઉપર છણાવટ કરેલ. આ સંમેલનમાં એસ.ટી., પાણી પુરવઠા, આંગણવાડી, વિદ્યુત, આશાવર્કર, મહાનગરપાલિકાના વોટર વર્કસમાં કામ કરતા વાલ્વમેન, મેલેરીયા કર્મચારીઓ, કટારીયા એન્ટરપ્રાઇઝ તથા ગોપાલના ડ્રાઇવરો ઉપસ્થિત રહેલ હતા. સંમેલનનું સંચાલન જિલ્લા મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીએ તથા આભાર દર્શન મહિલા મંત્રી અરૂણાબેન દાવડાએ કરેલ હતું. વ્યવસ્થા હરિભાઇ પરમારે કરેલ હતી.

(3:42 pm IST)