Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રહ્મ સમાજનો રવિવારે સરસ્વતી સન્માન- સ્નેહમિલન

૧૪૦ છાત્રોનું સન્માનઃ સર્વરોગ આયુર્વેદ નિદાન ફ્રી દવા કેમ્પ

રાજકોટ,તા.૧૧: સૌરાષ્ટ્ર- ગુજરાતભરમાં વસતા ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રહ્મ સમાજના સેંકડો પરિવારોમાં જ્ઞાતિના ઉત્કર્ષ માટે શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રહ્મ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા આઠ વર્ષથી સતત કાર્યરત છે. જે અંતર્ગત ૮મો સરસ્વતી સન્માન અને સ્નેહ મિલન કાર્યક્રમની સાથોસાથ સર્વરોગ આયુર્વેદ નિદાન ફ્રી દવા કેમ્પ સહિતના કાર્યક્રમ તા.૧૩ના રવિવારે સવારે ૮:૩૦ કલાકે શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા મેઈન રોડ, નિલકંઠ સિનેમાની સામેની બાજુ, સહેજ આગળના ભાગે રાજકોટ) ખાતે યોજવામાં આવનાર છે.

ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રહ્મ પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી શિરીષભાઈ ભટ્ટ, આસી.મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ જોષી, ગ્લોબલ આયુર્વેદ હોસ્પીટલના વ્યવસ્થાપક મેહુલભાઈ જોષી અને જ્ઞાતિના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણનું મહત્વ સમજે અને મહેનત કરવાનું પ્રોત્સાહન મળી રહે એ માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાએલ છે. પ્લે હાઉસથી પીએચડી સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન પુરસ્કાર અર્પણ કરાશે. પી.જે. માંગરોલીયા ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ આયુર્વેદ હોસ્પીટલના સૌજન્યથી સર્વરોગ આયુર્વેદ નિદાન તથા દવાનો ફ્રીકેમ્પ રાખવામાં આવ્યો છે. તા.૧૩ના રવિવારે સવારે ૮:૩૦ વાગ્યાથી શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ ખાતે શરૂ થનારા ફ્રી કેમ્પમાં ગ્લોબલ આયુર્વેદ હોસ્પીટલના નિષ્ણાત આયુર્વેદાચાર્યો સેવા આપનાર છે.

તસ્વીરમાં સર્વેશ્રી શિરીષભાઈ ભટ્ટ (મેનેજીંગ ટ્રસ્ટી), ભાવેશભાઈ જોષી (આસીસ્ટન્ટ મેનેજીંગ ટ્રસ્ટી), કલ્પેશભાઈ ભટ્ટ (ખજાનચી), સિધ્ધાર્થભાઈ મહેતા, ડો.મેહુલભાઈ જોષી (ગ્લોબલ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ આયુર્વેદિક હોસ્પિટલ), વિજયભાઈ પંડ્યા (લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ), દિપેનભાઈ જોષી (એકસચેન્જ ફાઈનાન્સીયલ સર્વિસીસ), બિપીનભાઈ ભટ્ટ (એસ્ટેટ ઓફીસર આરએમસી), નલિનભાઈ ભટ્ટ (ટ્રસ્ટી), અરૂણભાઈ ભટ્ટ (ટ્રસ્ટી), દિપેનભાઈ જોષી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)