Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આંબેડકરનગરમાં વાલ્મિકી દંપતિ પર પડોશી મહેશનો ધોકાથી હુમલો

જુનુ મનદુઃખ કારણભુતઃ અશોકભાઇ અને ગીતાબેનને ઇજા

રાજકોટ તા. ૧૨: ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૦માં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં અશોકભાઇ દલાભાઇ પરમાર (ઉ.૩૭) નામના વાલ્મિકી યુવાન અને આર.એમ.સી.માં હંગામી સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં તેના પત્નિ ગીતાબેન અશોકભાઇ (ઉ.૩૫) પર રાત્રીના તેના પડોશી મહેશ મુળજીભાઇ વાડોદરાએ ધોકાથી હુમલો કરી બંનેને પગે ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. અશોકભાઇના કહેવા મુજબ અગાઉ એકાદ મહિના પહેલા ઘર નજીક નળના સ્ટેન્ડ પોસ્ટ પર પાણી ભરવા બાબતે મારી દિકરી અને મહેશની પત્નિને બોલાચાલી થઇ હતી. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ હુમલો કરાયો હતો.

(12:43 pm IST)