Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગઇકાલે પરશુરામ મંદિરનાં તળાવમાં ડૂબતી બે દિકરીઓને બચાવી લેનાર દેવજીભાઇને ૧૧ હજારનો પુરસ્કાર

બાલાજી એન્ટરપ્રાઇઝવાળા હર્ષીત પ્રવિણસિંહ પરમારનું પ્રેરણાદાયી કાર્ય

રાજકોટ : ગઇકાલે શહેરની ભાગોળે આવેલ શ્રી પરશુરામ મંદિર પાસેનાં તળાવમાં સેલ્ફી લેવા જતાં બે યુવાનો અને બે છોકરીઓ તેમજ તેને બચાવવા ગયેલા જીવદયા પ્રેમી વ્યકિત ડૂબી ગયા હતાં જે પૈકી બે દિકરીઓને બાજૂની વાડીમાં કામ કરી રહેલા દેવજીભાઇએ બચાવી લીધી હતી. જયારે અન્ય ત્રણ વ્યકિતનાં કરૂણ મોત નિપજયા હતાં. આમ દેવજીભાઇનાં આ  બહાદુરી ભર્યા કાર્યથી બે લાડકવાયીની જીંદગી બચી ગઇ તેઓનાં આ કાર્યને ફુલ નહી તો ફુલ પાંખડીથી બિરદાવવાનું કાર્ય હર્ષીત પ્રવિણસિંહ પરમારે કર્યુ છે. હર્ષીતભાઇએ તેઓનાં પિતા પ્રવિણસિંહની પ્રેરણાથી આજે સવારે દેવજીભાઇનું પોલીસ કમીશનર કચેરી ખાતે  સાલ ઓઢાડીને રૂા. ૧૧૦૦૦ નો ચેક આપી સન્માન કર્યુ હતું. તે વખતની તસ્વીરમાં પ્રવિણસિંહ પરમાર, હર્ષીતભાઇ પરમાર, મહેશભાઇ ભટ્ટી તથા એ. સી. પી. શ્રી કુરેશી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દર્શાય છે.  (તસ્વીર - સંદિપ બગથરીયા)

(3:56 pm IST)