Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રવિવારથી રેસકોર્ષ મેદાનમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

સેવા સમર્પિત વૈષ્ણવ સંસ્થાઓ, દાસીજીવણ સત્સંગ મંડળ અને વૈષ્ણવ સંઘ, રાજકોટનું અનોખું આયોજન : વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી સાત દિવસ સુધી બપોરે ૩ થી સાંજે ૭ સુધી ઉપદેશાત્મક કથાનું રસપાન કરાવશે : કથા મંડપ સમીપ વિશાળ ડોમમાં વ્રજની ઝાંખી કરાવતી દર્શનીય પ્રદર્શની આગંતુક ભાવિકોનું આકર્ષણ બની રહેશે : પ્રથમ દિવસે રવિવારે બપોરે નીકળનાર શોભાયાત્રા ભાવિક નગરજનોને કથા શ્રવણ કરવા પધારવા સંદેશો આપશે

રાજકોટ,તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પરમ વૈષ્ણવ શ્રેષ્ઠિઓના સહયોગથી રાજકોટની વૈષ્ણવ સેવા સંસ્થાઓ, દાસીજીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના ઉપક્રમે રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તમામ સુવિધાઓ સાથેના વિશાળ કથા ડોમમાં રવિવાર તા.૧૫ ડિસેમ્બરથી શનિવાર તા.૨૧ ડિસેમ્બર સુધી ''શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગીતા જ્ઞાનયજ્ઞના આ સાત દિવસ દરમ્યાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ સુધી કડી- અમદાવાદના વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશ લાલજી મહોદય શ્રી ભગવદ્ ગીતાની  કથાનું ઉપદેશાત્મક રસપાન કરાવશે.''

રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રની વૈષ્ણવ સૃષ્ટિ માટે અલભ્ય એવા આ જ્ઞાનયજ્ઞના સાત દિવસ દરમ્યાનના અન્ય કાર્યક્રમોની વિગતો આપતાં આ આયોજનના પ્રચારતંત્ર ઈન્ચાર્જ, રાજકોટ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, ''કથાના પ્રથમ દિવસ રવિવારે બપોરે કથા સ્થળેથી વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જે શહેરના રાજમાર્ગો પર વાજતે- ગાજતે ફરીને ભાવિક નગરજનોને કથા શ્રવણનો લાભ લેવા સંદેશો આપશે. આ શોભાયાત્રામાં વૈષ્ણાવાચાર્ય દ્વારકેશલાલજી સહિત વિવિધ ક્ષેત્રના વૈષ્ણવ મહાજનો રમેશભાઈ ધડુક, સૂર્યકાન્તભાઈ વડગામા, અરવિંદભાઈ ગજજર, અલ્પેશભાઈ ખંભાયતા, વિઠ્ઠલભાઈ ધડુક, નરેન્દ્રભાઈ ભાલારા, ભાસ્કરભાઈ સોની, પોપટભાઈ ભાલારા, નેમિષભાઈ પટેલ, રમણિકભાઈ પાટણવાડીયા, અશ્વિનભાઈ વડગામા, ચૈતન્યભાઈ સાયાણી, બાબુભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ છનિયારા, કિશોરભાઈ બકરાણીયા, પ્રભુદાસભાઈ તન્ના, ગોરધનભાઈ ચાંપાનેરા, વિનુભાઈ ડેલાવાળા, ચનભાઈ લોટીયા, ડાયાભાઈ ડેલાવાળા, જયંતિભાઈ નગદીયા, ગોરધનભાઈ ગજેરા, જેરામભાઈ વાડોલીયા, ભુપેન્દ્રભાઈ છાંટાબાર, અરવિંદભાઈ પાટડિયા, ધીરૂભાઈ પટેલ, પિયુષભાઈ અઘેરા, રમેશભાઈ ગુંજારીયા સહિત શહેરનો વિશાળ વૈષ્ણવ સમૂદાય શોભાયાત્રામાં સામેલ થશે. મોટી સંખ્યામાં જોડાનાર કળશધારી બહેનો પ્રેક્ષકોનું આકર્ષણ બની રહેશે.''

સાત દિવસના ગીતા જ્ઞાનયજ્ઞના પાવન પ્રસંગો તથા રાત્રી પ્રસંગોની વિગતો આપતાં ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, કથાના પ્રથમ દિવસે સત્ધરાનો મનોરથ, દ્વિતીય દિને કેસરીધરાનો મનોરથ, તૃતિયદિને રંગમહેલનો મનોરથ, ચતુર્થદિને પલના નંદમહોત્સવ, પાંચમા દિવસે વિવાહખેલ મનોરથ, છઠ્ઠા દિવસે જલેબી મનોરથ અને સાતમા દિવસે વિશ્રામધારે કુનવારાનો મનોરથ. આ તમામ મનોરથો કથા મંડપમાં ધામધૂમપૂર્વક ઉજવાશે તથા તૃતિયદિન મંગળવારે અને પાંચમા દિવસ ગુરૂવારે રાત્રે ૯ વાગ્યે થી રાસોત્સવ યોજાશે.

રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાંથી કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો પધારવાના હોય,  તેઓની વ્યવસ્થા અને સુવિધા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં વૈષ્ણવ સેવકો ખડે પગે સેવાઓ આપશે. આ ભગીરથ આયોજનને સફળ બનાવવા રાજકોટની સેવા સમર્પિત સંસ્થાઓ દ્વારકેશ ગ્રુપ, શ્રીજી ગૌશાળા, ગોંડલ ગ્રુપ તેમજ કોર્પોરેટ ગ્રુપમાં બાન લેબ, સનફોર્જ, પામ ગ્રુપ, ફાલ્કન ગ્રુપ, મિલન જવેલર્સ, રઘુવીર કોટન, બેકબોન ગ્રુપ, યુ.વી.કલબ, કિશાન ફાઈનાન્સ વગેરે ઉદ્યોગ જગતનો પણ સહયોગ સાંપડયો છે.

આ જ્ઞાનયજ્ઞ કથાનું લક્ષ્ય ટી.વી. અને આસ્થા ચેનલ પરથી લાઈવ પ્રસારણ થશે જેનો દેશના અન્ય રાજયો તથા વિશ્વના અનેક દેશોમાં વસતા વૈષ્ણવો- ભાવિકોને લાભ મળશે. રાજકોટના ઘર આંગણે યોજાનાર અણમોલ કથા શ્રવણનો લાભ લેવા રાજકોટની ધર્મપ્રેમી જનતાને આયોજકો તરફથી સદ્દભાવ જાહેર આમંત્રણ અપાયું છે.

(1:15 pm IST)