Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

બાલમુકુંદ સોસાયટીમાં કેન્સરથી કંટાળી કમલભાઇ પટેલનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૧: નિર્મલા રોડ પર બાલમુકુંદ સોસાયટીમાં રહેતાં કમલભાઇ અરવિંદભાઇ ગલાણી (ઉ.૪૪) નામના પટેલ યુવાને પંખાના હુકમાં ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. જીતુભાઇ બાળા અને દિગ્વીજયસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કમલભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તેઓ મોટા ભાઇ સાથે કારખાનામાં બેસતાં હતાં. પરંતુ કેટલાક મહિનાઓથી જીભનું કેન્સર થયું હોઇ ઘરે જ રહેતાં હતાં. કેન્સરની બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.સવારે દસેક વાગ્યે કમલભાઇ રૂમમાંથી બહાર ન આવતાં મોટા ભાઇ જોવા જતાં બનાવની ખબર પડી હતી.  બનાવને પગલે સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:51 pm IST)