Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ભાગવતી પ્રવજવાના મુર્હૂતના કાર્યક્રમો

શ્રીમદ્દ વિજય યશોવિજયસુરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં

રાજકોટ, તા. ૧૧ : શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ.પૂ. આ. શ્રી યશોવિજયસુરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં મુમુક્ષુ શ્રી સૌરવકુમાર નિલેશભાઈ શાહની ભાગવતી પ્રવજવાના મંગલ મુહૂર્ત પ્રદાનનો મંગલ કાર્યક્રમ યોજાયેલ છે.

આગામી તા.૧૪ના ગુરૂવારે પ.પૂ.આ. દેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં શ્રી જાગનાથ સંઘના પનોતા પુત્ર શ્રી સૌરવકુમાર નિલેશભાઈ શાહની ભાગવતી પ્રવજવાના મંગલ મુહૂર્તના કાર્યક્રમમાં સવારે ૮:૪૫ કલાકે શ્રી નિલેશભાઈ પ્રવિણભાઈ શાહ (બી-૭, પુષ્કર એપાર્ટમેન્ટ, ૨૨ ન્યુ જાગનાથ પાર્ક, સર્વેસર ચોક પાસેથી), પ.પૂ. આ. ભગવતનું ભવ્યાતિભવ્ય સામૈયુ શરૂ થશે. શ્રી જાગનાથ જીનાલય શ્રી ધર્મનાથજી જીનાલય દર્શનાર્થે પધારી પ.પૂ. ગુરૂદેવ આદિ સાધુ - સાધ્વીજી ભગવંતો, શ્રાવક - શ્રાવિકાઓ શ્રી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવન પધારશે.

પ. પૂ. આચાર્ય ભગવંત સવારે ૯ થી ૧૦ વ્યાખ્યાન ફરમાવશે. વ્યાખ્યાન દરમિયાન શ્રી સંઘના પનોતા પુત્ર મુમુક્ષુ શ્રી સૌરવભાઈ નિલેશભાઈ શાહની ભાગવતી પ્રવજયાના મંગલ મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે તેમ પ્રમુખ દિનેશભાઈ પારેખની યાદીમાં જણાવાયુ છે.

(3:52 pm IST)