Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

માનસીક બીમારીને લીધે ફરઝાનાબેન સુમરાએ હાથમાં બ્લેડથી કાપા મારતા મોત

નાનામવા સર્કલ આર.એમ.સી. કવાર્ટરમાં બનાવઃ સુમરા પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.૧૧ : નાનામવા સર્કલ પાસે આર.એમ.સી.કવાર્ટરમાં માનસીક બીમારીના કારણે મુસ્લીમ મહિલાએ પોતાની જાતે હાથમાં બ્લેડના કાપા મારતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ નાનામવા આર.એમ.સી. કવાર્ટરમાં રહેતા ફરઝાનાબેન ફિરોઝભાઇ સુમરા (ઉ.૩ર) એ બે દિવસ પહેલા પોતાના ઘરે હતા ત્યારે પોતે જાતે બ્લેડથી ડાબા હાથ ઉપર કાપા પાડતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. અજીતસિંહ જાડેજા તથા રીતેષભાઇ પટેલે તપાસ આદરી હતી. મૃતક ફરઝાનાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ ફીરોઝભાઇ સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટીમેન તરીકે નોકરી કરે છે.તે છેલ્લા ૧પ દિવસથી માનસીક બીમારીથી પીડાતા હતા.(૬.૯)

 

(11:56 am IST)