Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રોહીદાસપરાના રમેશભાઇ રાઠોડે રૈયા ચોકડીએ ઓવર બ્રીજ પરથી પડતું મુક્‍યું

પગ ભાંગી જતાં સારવાર હેઠળઃ જિંદગીથી કંટાળી ગયાનું રટણ

રાજકોટ તા. ૧૧: મોરબી રોડ પર રોહીદાસપરામાં રહેતાં રમેશભાઇ સોમાભાઇ રાઠોડ (ઉ.વ.૫૦)એ ગત સાંજે રૈયા ચોકડીએ ઓવર બ્રીજ પરથી પડતું મુકતાં પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.

રમેશભાઇએ જણાવ્‍યું હતું કે પોતે લાદી કામની મજૂરી કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પોતે જિંદગીથી કંટાળી ગયા હોઇ સાંજે ઘરેથી નીકળી ગયા બાદ રૈયા ચોકડીએ જઇ પૂલ પરથી પડતું મુકી દીધું હતું. રમેશભાઇનો પગ ભાંગી ગયો હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(4:46 pm IST)