Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઔરંગાબાદમાં આડતીયા પરિવાર દ્વારા શાસ્‍ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્‍યાસાસને ભાગવત કથા

રાજકોટઃ ઔરંગાબાદમાં કનોટ પ્‍લેસ, અગ્રસેન ભવન ખાતે શ્રીનાથજી બાવાની કૃપા અને પૂ.જલારામબાપાના આર્શિવાદથી કુળદેવતા પૂ.જશરાજદાદા અને કુળદેવી ચંડી ચામુંડા માતાજીની પુર્ણ કૃપાથી સ્‍વ.ભારતીબેન અરૂણભાઇ આડતીયાના સ્‍મૃતિમાં અને સર્વે પિતૃઓના સ્‍મરણાર્થે સાત દિવસીય શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રાણસીકીના યુવા કથાકાર શાસ્‍ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્‍યાસાસને કરવામાં આવ્‍યુ હતુ. જેમાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકોએ કથા શ્રાવણનો લાભ લીધો હતો. કથાનું આયોજન અરૂણભાઇ કાનજીભાઇ આડતીયા મો.૯૪૨૩૪૫૪૭૭૫, સંદીપ અરૂણભાઇ આડતીયા મો.૯૪૨૨૨૦૨૪૦૪ સુદીપ અરૂણભાઇ આડતીયા મો.૮૮૮૮૮૫૫૯૯૯ દ્વારા કરવામાં આવ્‍યુ હતુ.

(4:13 pm IST)