Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સૂરશ્રી ગ્રૃપ દ્વારા સરલાબેન ત્રિવેદીનાજન્‍મદિન નિમિત્તે રવિવારે સંગીત સંધ્‍યા

રાજકોટ, તા. ૧૧ :  સુરશ્રી ગ્રૃપના વડીલ અને માર્ગદર્શક શ્રીમતી સરલાબેન ત્રિવેદીનો જન્‍મદિવસ ૧૩ નવેમ્‍બરને રવિવારે છે તે આપણી વચ્‍ચે સદેહે નથી પણ તેના આશીર્વાદ હંમેશા સાથે છે તેને સંગીત દ્વારા યાદ કરવા માટે તા. ૧૩ રવિવારે સાંજે પ.૩૦ થી ૯ સુરશ્રી ગૃપ અને સુર સપ્તક ગ્રૃપ દ્વારા સંગીત સંધ્‍યા ઇવનિંગ પોસ્‍ટ જિલ્લા ભવન બેંકની બાજુમાં ચૌધરી હાઇસ્‍કુલ ખાતે રાખેલ છે. કાર્યક્રમમાં સંગીત રસિકોએ ઉપસ્‍થિત રહેવું તેમ જયંતીભાઇ પટેલ જણાવે છે.

(4:12 pm IST)