Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મયુર શાહે અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર નિર્માણમાં ઉપયોગ થનાર શીલાનું પૂજન કર્યુ

જૈન અને ભાજપ અગ્રણી

રાજકોટઃ દુબઈના પ્રવાસે ગયેલ ભાજપ અને જૈન અગ્રણી મયુર શાહ (મો.૯૪૨૮૨૦૦૦૭૫)એ અબુધાબી ખાતે પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પુજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને અમી દ્રષ્ટી થી નવનિર્માણ પામી રહેલ શ્રી સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નિર્માણ પામી રહેલ મંદિરમાં જે શિલા (ઇંટ) નો ઉપયોગ થવાનો છે તેમાંની એક શિલા(ઇંટ)નંુ પુજન પુ.ઉત્તમનિલયદાસજી સ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક વિધીથી કરી નિર્માણ પામી રહેલ મંદિરમાં સહભાગી બનવાનો અવસર પપ્રાપ્ત કરી મયુરભાઇએ ધન્યતા અનુભવી હતી.

(4:11 pm IST)