Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્છનાં કેરામાં સમસ્ત લુહાર-ઉમરાણીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ

વ્યાસાસને રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ

રાજકોટ તા. ૧૧ :.. કચ્છનાં કેરા ગામમાં ડી. સી. બી. બેન્કની સામે, મુંદ્રા -ભુજ-હાઇવે ઉપર આજે તા. ૧૦ થી તા. ૧૬ સુધી ઉમરાણીયા લુહાર પરિવાર દ્વારા રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જ્ઞાતિના આત્મ કલ્યાણ અને પિતૃ મોક્ષાર્થે કરવામાં આવ્યુ છે.

કથાનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩.૩૦ થી ૬ સુધી રાખેલ છે. સંતો - મહંતો દરરોજ આર્શિવચન પાઠવશે. અનાઉન્સર શૈલેષભાઇ પંચાલ, (વાઘેલા) કરશે.

શ્રી ક્ષેત્ર પાળદાદાના મઢ તથા ઇશ્વરી માતાજીનું મંદિર, મંદિર ઉમરાણીયા પરિવારના દેવસ્થાન દ્વારા આયોજીત કથામાં આજે સવારે પોથીયાત્રા, દિપ પ્રાગટય સાથે કથાનો પ્રારંભ થયો હતો.

તા. ૧ર ને શનીવારે નરસિંહ પ્રાગટય, તા. ૧૩ ના વામન પ્રાગટય, શ્રીરામ પ્રાગટય તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા. ૧પ ના રૃક્ષ્મણી વિવાહ તથા તા. ૧૬ નાં સાંજે પ વાગ્યે કથા વિરામ લેશે.

તા. ૧૭ ને ગુરૃવારે સવારે ૯ વાગ્યે હોમ-હવન થશે. જયારે તા. ૧ર ને શનીવારે રાત્રે ૯ વાગ્યે દાંડિયા રાસ, તા. ૧૪ ને મંગળવારે રાત્રે ૯ વાગ્યે ભજન-સંતવાણીનુ આયોજન કરાયું છે.

ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

વધુ વિગત માટે શીવજીભાઇ ૯૮૭૯૬ પ૯૪૭ર, શીવલાલભાઇ ૯૪ર૭ર ૬પ૪ર૮, મુકેશભાઇ ૯૮૭૯પ ૭૧૩૦૯, ઉમેશભાઇ ૯૮રપ૬ રપ૯૧૧, શાંતિલાલભાઇ ૭૦૧૬૪ ૧૪૭ર૦, પ્રવિણભાઇ ૯૩ર૪૧ ૬૭૭૯૦, ચંદ્રેશભાઇ ૯૮ર૪૬ ૬૪૦૧૬, ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:58 pm IST)