Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સદાબહાર નામો કી બારાતઃ કાલે જુના-નવા ગીતોનો સંગીતનો વિનામૂલ્‍યે કાર્યક્રમ

ગાયક કલાકારો અજય દવે, બકુલ પંડયા, હિતેષ ભટ્ટ, દિપક જોશી, એ.કે.સીંગ, દર્શના ત્રિવેદી , જયોતિ ભટ્ટ અને વર્ષા ઠાકરઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ્‍

રાજકોટઃ શ્રીબકુલભાઇ પંડયા પ્રસ્‍તુત એક સદાબહાર નગ્‍મો કી બારાત શિર્ષક હેઠળ એક કરાઓકે સંગીત સંધ્‍યાનું આયોજન પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ રૈયારોડ ખાતે આવતીકાલે તા.૧૨ના શનિવારે રાત્રે ૮થી ૧૨.૩૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.
જેમાં શ્રીકિશોરકુમાર, મુકેશજી, લતાજી તથા આશાજીના સુમધુર ગીતો પ્રસ્‍તુત કરવામાં આવશે જેમાં સિંગર કલાકારો તરીકે શ્રીબકુલ પંડયા(વોઇઝ ઓફ મુકેશ), શ્રીહિતેષ ભટ્ટ (વોઇઝ ઓફ કિશોરકુમાર) શ્રીમતી વર્ષા ઠાકર(વોઇઝ ઓફ લતાજી) તથા શ્રીમતી દર્શનાબેન ત્રિવેદી (વોઇઝ ઓફ આશાજી) અને ગેસ્‍ટ આર્ટીસ્‍ટ તરીકે અજયભાઇ દવે તથા શ્રીમતી જયોતિબેન ભટ્ટ પરફોર્મન્‍સ આપી રહયા છે જયારે એન્‍કરીંગમાં શ્રીદીપકભાઇ જોશી સામેલ છે. સંગીત પ્રેમીઓને કાર્યક્રમ માણવા અનુરોધ કરાયો છે

 

(3:37 pm IST)