Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સ્નેહમીલનની તૈયારીના ભાગરૂપે ભાજપની વિવિધ સેલના સંયોજકો સાથે બેઠક

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષ સ્થાને અને રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીરજી ગુપ્તા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણી, અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં તા.૧૫ના સોમવારે સાંજે ૬ કલાકે અમૃતસર પાર્ટી પ્લોટ (૧૫૦ ફૂટ  રીંગ રોડ, એ.પી. પાર્ક સામે) ખાતે શહેર ભાજપ કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકોનું સ્નેહમિલન યોજાશે. આ સ્નેહમિલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સેલ સંયોજકો સાથેની બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. આ તકે અંશ ભારદ્વાજ, સી.એચ.પટેલ, ડો.ચેતન લાલસેતા, ડો.પ્રવીણ નીમાવત, મનસુખ પીપળીયા, નરશીભાઈ કાકડીયા, પરાગ મહેતા, મહેશભાઈ પરમાર, જગદીશ અકબરી, વિજય કારીયા, જયદીપ જલુ, પરીમલ પરવડા, અજય વાઘેલા, જયેશ ઘાવરી, પોપટભાઈ ટોળીયા, ગૌતમ વાળા, વિજયભાઈ પાડલીયા, ગીરીશભાઈ દેવળીયા, કૌશીક અઢીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)