Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

શ્રી શ્યામલાલજીની હવેલીમાં અન્નકુટ મહોત્સવઃ ભાવિકોએ દર્શનનો લાભ લીધો

રાજકોટઃ અહિંના પંચનાથ મંદિર મેઇન રોડ ઉપર જય સીયારામ પેંડાવાળાની સામે શ્રી શ્યામાલાલજીની હવેલી (જુની સદરની  હવેલી) ખાતે લાભ પાંચમના પવિત્ર દિવસે લાડલેલાલ શ્રી શ્યામલાલજી પ્રભુને અન્નકોટ ધરવામાં આવ્યો હતો. ગોવર્ધન પુજાની ઝાંખી અને અન્નકુટ મહોત્સવના દર્શનની ઝાંખીનો સંેકડો વૈષ્ણવોએ લાભ લીધો હતો. સરકારી નિયમો અનુસાર તમામ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમ મુખ્યાજી શ્રી જયેશભાઇ હરીભાઇ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩ એ જણાવ્યું હતુ.

(3:09 pm IST)