Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જય જય શ્રી જલારામ : રાજકોટ પૂ. જલાબાપાના રંગે રંગાયુ : ઠેરઠેર ભકિત વંદના

રાજકોટ : આજે પૂ. જલારામ બાપાની રર૨ મી જન્મ જયંતિ છે. કોરોના સંક્રમણ હળવુ થતા ગયા વર્ષ કરતા આ વર્ષે ઉજવણીનો ઉત્સાહ વધ્યો છે. અનેક સ્થળોએ પૂજા આરતી અને પ્રસાદના કાર્યક્રમો આયોજીત થયા છે. તો લોકો ઘરે ઘરે પણ પૂજા અર્ચના કરી પૂ. જલારામ બાપાની ભકિતમાં જોડાયા છે. રાજકોટના સદર ભીલવાસ ખાતેના શ્રી જલારામ પ્રાર્થના મંદિરે આજે સવારે પૂ. જલારામ બાપાની મુર્તિ સમક્ષ દીપ પ્રાગટય કરવામાં આવેલ. આખો દિવસ ભકિત સભર કાર્યક્રમો ચાલશે. તસ્વીરમાં પૂ. જલારામબાપાના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવિકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(11:29 am IST)