Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સાત હનુમાન પાસે ખીજડીયામાં કામધંધાના ટેન્શનમાં ૨૯ વર્ષના યુવાને મોત મેળવી લીધું

રૈયા ખરગીયા નામના યુવાને ઝેર પી લીધું: રાજકોટમાં દમ તોડ્યોઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ભરવાડ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ સાત હનુમાન નજીક ખીજડીયા ગામે રહેતાં રૈયા સગરામભાઇ ખરગીયા (ભરવાડ) (ઉ.વ.૨૯) નામના યુવાને ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.  હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં  કુવાડવાના હેડકોન્સ. મહાવીરસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. રૈયાભાઇ ત્રણ ભાઇમાં મોટો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. હાલમાં કામધંધો ન હોઇ તે બાબતે કુટુંબીજનોએ તેને સમજાવી કામે વળગવા કહેતાં ટેન્શનમાં આવી પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

(11:28 am IST)