Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૨૩ નવેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનોમાં શિક્ષણ કાર્ય શરૂ કરાશેઃ કુલપતિ પેથાણી

સરકારની એસઓપી મુજબ નિયમોનું પાલન કરાશેઃ હોસ્ટેલ અંગે ટુંક સમયમાં નિર્ણય

રાજકોટ, તા., ૧૧: ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પીજી ભવનો-કોેલેજની છેલ્લા વર્ષ તેમજ શાળાઓમાં ફરી શિક્ષણ કાર્ય ચાલુ કરવાના નિર્ણયથી તૈયારી શિક્ષણ વિભાગે કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પણ છેલ્લા ૭ માસથી કોરોનાને કારણે બંધ રહેલ ૩૦ થી વધુ શિક્ષણ ભવનોમાં વાસ્તવીક શિક્ષણ કાર્ય શરૂ કરવા હિલચાલ શરૂ કરવામાં આવી છે.

કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણીએ જણાવ્યું છે કે રાજય સરકારે જાહેર કરેલ નિયમોનુસાર પુરી કાળજી રાખીને ર૩ નવેમ્બરથી તમામ શિક્ષણ ભવનોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની વિચારણાને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની હોસ્ટેલ હજુ શરૂ કરવાનું માર્ગદર્શન આવ્યા બાદ ચાલુ થશે.

(4:06 pm IST)