Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શ્રી વલ્લભાશ્રય હવેલી દ્વારા નિ.લી.પુ.પા.ગો. ૧૦૮ શ્રી કનૈયાલાલજી મહારાજશ્રીના પ્રાગટય ઉત્સવના ઉપલક્ષમાં સેવાયજ્ઞ

રાજકોટ : શ્રીવલ્લભાશ્રય હવેલીના પુજય ગો. શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી દ્વારા પોતાના પિતૃચરણનો પ્રાગટય ઉત્સવ ખુબજ ઉમણકાભેર ઉજવવામાં આવ્યો, બહોળી સંખ્યામાં ભાવિક વૈષ્ણવોએ દર્શનનો અલભ્ય લાભ લીધો. પોતાના ગુરૂદેવશ્રીના પ્રાગટય ઉત્સવે ગુરૂદેવના લાલજી રાજકોટ વૈષ્ણવ સૃષ્ટિના લોકલાડિલા ષષ્ઠગૃહાચાર્ય પુજય ગો. શ્રી અભિષેકલાલજીશ્રીકનૈયાલાલજી મહારાજશ્રીને દંડવત કરવા એવં વધાઈ આપવા વૈષ્ણવો ઊમટી પડયા, મંગળવારના સવારથી માનવ સેવારૂપી સેવાયજ્ઞ પ્રારંભ થયો, જરૂરીયાતમંદ ૧૫૧ વૃધ્ધ વડિલોને ધાબડા વિતરણ તેમજ ફ્રુટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, પ્રાગટય ઉત્સવના કાર્યક્રમો કોરોના મહામારીના હિસાબે આ વર્ષે હવેલી પુરતાજ મર્યાદિત રાખવામા આવ્યા હતા, હવેલીમાં સવારે મંગળાના દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિક વૈષ્ણવોએ લાભ લીધો હતો, ત્યારબાદ પલનાના દર્શનમાં કિર્તનકારો દ્વારા અદભૂત મૃદંગના નાદ સાથે કિર્તનનો થનગનાટ કરાવવામા આવ્યો હતો, ત્યારબાદ રાજભોગના દર્શન થયા, સાંજના મનોરથના દર્શનમાં હટરીના દર્શન કરિ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી, રાત્રે વધાઈ કિર્તન સાથે પ્રાગટય ઉત્સવ સંપન્ન થયો હતો.

(3:44 pm IST)