Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ચુનારાવાડ નદીકાંઠા વિસ્તારમાં ડ્રેનેજ કામનો પ્રારંભ

રાજકોટઃ  વોર્ડ નં.૦૬ ચુનારાવાડ નદીકાંઠા વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા મળે તે માટે આજરોજ રૂ.૪૦ લાખના ખર્ચે ડ્રેનેજનું ખાતમુહૂર્ત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું. આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કોર્પોરેટર દેવુબેન જાદવ, પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ કુંગસીયા, મહામંત્રીશ્રી દુષ્યંતભાઈ સંપટ, ગેલાભાઈ રબારી, મનસુખભાઈ જાદવ, પ્રેમજીભાઈ મકવાણા, રાજુભાઈ પાટડિયા, કિન્નરીબેન ચૌહાણ, નજમાબેન પઠાણ, કલ્પનાબેન નગવાડીયા, કિરણબેન પાટડિયા, હસુભાઈ બોરીચા, માધુભાઈ ઉપરા, બાબુભાઈ ભલસોડ, રવિભાઈ ઉપરા, ગંગુબેન બાટલાવાળા, ગવરીબેન, વિનુભાઈ, કાળુભાઈ, સામતભાઈ, જેન્તીભાઈ ઉપરા, કેશુભાઈ સતાપરા, ગગુબેન ઉધરેજા, ખુશમાબેન, ગીતાબેન પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)