Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઇદે મીલાદ નિમિતે રેસકોર્ષ મેદાનમાં નિદાન કેમ્પ યોજાયો

રાજકોટ : જશ્ને મિલ્લાર્દુન્નબીમાં રવિવારે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઇદએ મિલાદ નિમીતે મુસ્લીમ મેડીકો પરિવાર તરફથી વિના મુલ્યે નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. એમ. કે. કાદરી, ડો. સિરાજ જાખહા, ડો. રૂકમુદીન કડીવાર, ડો. હુસેન ઇસાણી, ડો. મતિન લાખાણી સહિતનાએ સેવા આપી હતી.

(3:21 pm IST)