Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જય ઉમિયા ગરબી મંડળ ઉજવે છે ૩૧મો નવરાત્રી મહોત્સવ

રાજકોટઃ શહેરના વોર્ડનં.૨ના સુભાષનગર ધ્રુવનગર, ચુડાસમા પ્લોટ સહિતના આસપાસના વિસ્તારોના ભાવિક પરિવારોના સંયુકત સહયોગથી ચુડાસમા પ્લોટ-૪ આદિત્ય ચોકમાં છેલ્લા ૩૦ વર્ષથી અવિરત એક જ સ્થળે જય ઉમિયા ગરબી મંડળના ઉપક્રમે ભરવાડ, હરિજન, ભીલ, કોળી વગેરે કોમની નાની બાળાઓ વિવિધ ગ્રુપમાં ગરબે રમે છે. ધાર્મિક પરિવારો તરફથી દરરોજ લ્હાણી પ્રસાદ આઇસ્ક્રીમ, ઠંડાપીણા બાળાઓને આપવામાં આવે છે.

નવદુર્ગા માતાજીની આરાધનાના આ ઉત્સવને સર્વાંગી વિકાસ સફળ બનાવવામાં આશિષ પટેલ, રજતભાઇ સંઘવી, રાજુ અલ્કાબેન પાટડીયા, કિર્તીબેન જોષી, સાક્ષીબેન રાઠોડ, જાગૃતિબેન પટેલ વગેરે સહયોગ આપી રહયા છે.

(3:50 pm IST)