Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કોઠારીયા નાકા ચોકમાં દુર્ગા પૂજા મહોત્સવ : શુક્રવારે વિજયા દશમી મનાવાશે

રાજકોટ : સ્વામી વિવેકાનંદ સ્મૃતિ સંઘ દ્વારા કોઠારીયા નાકા, કિશોરસિંહજી શાળા પાછળ, મંગલમ હોલ ખાતે શ્રી દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરાયુ છે. તા. ૧૦ ના શનિવારથી પ્રારંભ થયેલ આ મહોત્સવમાં આજે મહાષષ્ઠી પૂજા કરાઇ હતી. આવતીકાલે મહાસપ્તમી અને બુધવારે મહાઅષ્ટમીની પુજા કરાશે. તા. ૧૫ ના શુક્રવારે સવારે ૧૦.૨૭ વાગ્યે વિજયા દશમી પૂજા અને સાંજે ૪ વાગ્યે સીંદુર ઉત્સવ ઉજવાશે. સમગ્ર દુર્ગા પૂજા મહોત્સવને સફળ બનાવવા સ્વામિ વિવેકાનંદ સ્મૃતિ સેવા સંઘના પ્રમુખ પ્રદીપ દત્તા, સ્વપ્ન ઘોરાઇ, સંજીવ માજી, મનોજ બેરા, દીલીપ માજી, રાધેશ્યામ હજારા, સ્વપ્ન મૈટી, સુનીલ ચક્રવર્તી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આજે સવારે થયેલ પૂજા પાઠ સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:13 pm IST)