Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પૂ. નમ્રમુની મ. સા. ની પ્રેરણાથી જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક નેત્રયજ્ઞ

ડો. અનિમેષ ધ્રુવના સહયોગથી ધ્રુવ હોસ્પિટલમાં ઓપરેશન થશેઃ રજીસ્ટ્રેશન ફરજીયાત

રાજકોટ તા. ૧૧ :.. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની શુભ પ્રેરણાથી માનવતા અને સેવાના અનેક સદકાર્યો થઇ રહ્યાં છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના જરૂરીયાતમંદ લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનનું આયોજન ફરી એક વખત રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ. અનન્ય ગુરૂભકત ધર્મવત્સલના માતુશ્રી વિમળાબેન દિલીપભાઇ મહેતાની ઉત્કૃષ્ટ ભાવનાથી કરવામાં આવશે. આંખના નિષ્ણાંત ડો. અનિમેષ ધ્રુવ સરાહનીય સહયોગ પ્રદાન કરેલ છે. ધ્રુવ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. મોતિયાનું ઓપરેશનનો લાભ લેવા ઇચ્છુક સમાજના જરૂરીયાતમંદ જૈન-જૈનેતર ભાઇઓ-બહેનો સંપર્ક કરી પોતાનું નામ લખાવી શકે છે.

આ નેત્રયજ્ઞમાં અર્હમ યુવા સેવા ગ્રુપના તેજસભાઇ બાવીશી, તુષારભાઇ મહેતા, જૈન અગ્રણી ડોલરભાઇ કોઠારી, મનોજભાઇ ડેલીવાળા, ઉપેનભાઇ મોદી તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપની ટીમ કાર્યરત છે. વિશેષ માહિતી માટે તેમજ નામ લખાવવા ડોલરભાઇ કોઠારી (મો. નં. ૯૮રપ૩ ૧૭૩૩૩), તેજસભાઇ બાવીસી (૯૪ર૯પ ૦ર૪૪૬), તુષારભાઇ મહેતા (મો. ૯૪ર૮ર ૬૬૦૮૬) ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

આ માટે રજિસ્ટ્રેશન આ ફોર્મ શ્રી ઉવસગ્ગહરમં સાધના ભવન, ૪ આફ્રિકા કોલોની, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતેથી તારીખ ૩૧ પહેલા મોકલી આપવાના રહેશે.

(3:12 pm IST)