Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાત્રે રાજકોટના ચુનારાવાડ ચોક પાસે અનિલ મેનિયાની છરી ઝીકી હત્યા : વિશાલ અને સાગર ઘાયલ

કૌટુંબિક ડખ્ખો કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ : સિવિલ હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યા

રાજકોટ : શહેરના ચુનારાવાડ ચોક પાસે આજે રાત્રે યુવકની છરી ઝીકી હત્યા કરાઈ છે જયારે બે યુવકોને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

 પ્રાથમિક તારણ મુજબ કૌટુંબિક કારણોસર ડખ્ખો થયાનું મનાય છે જેમાં મામા ફઇના દીકરાઓ વચ્ચે માથકૂટ થતા હુમલો થયો હોવાનું મનાય છે

  આ અંગે મળતી પ્રાથમિક વિગત મુજબ આજે રાત્રે ચુનારાવાડ ચોકમાં કોઈ બાબતે ડખ્ખો થતા છરીથી હુમલો કરતા અનિલ સોમાભાઈ મેનિયાનું મોત નીપજ્યું છે જયારે વિશાલ અને સાગર નામના બે યુવકો ઘાયલ થયા છે

 જાણવા મળ્યા મુજબ ઘાયલ થયેલ યુવકને  સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે પોલીસ કાફલો દોડી ગયો છે

વધુ વિગત મેળવાઈ રહી છે

(12:16 am IST)