Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ટોલનાકાની ઉઘાડી લુંટ બંધ કરાવવા રાજકોટથી સોમનાથ સુધી જન જાગૃતિ પદયાત્રાને પ્રસ્થાન

રાજકોટ : માર્ગોના ઠેકાણા ન હોય અને વાહનો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવામાં આવે તો એ ઉઘાડી લુંટ સમાન હોવાનું જણાવી એકલવીર રાજકોટના કેશવ પરમારે જનજાગૃતિ ઝુંબેશ આરંભી છે. કેશોદ પાસેના ટોલનાકા પર તેઓને થયેલ કડવા અનુભવને લઇને તેમણે રાજકોટથી સોમનાથ સુધી પદયાત્રા કરીને લોકોને જાગૃત કરવા સંકલપ લીધો છે. આજે સવારે ૮ વાગ્યે તેઓએ પ્રસ્થાન કરેલ ત્યારે તેમનો જુસ્સો વધારવા સત્યાગ્રહીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:55 pm IST)