Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રેલનગરની છત્રપતિ શિવાજી ટાઉનશીપની ગરબીમાં સ્વચ્છ ભારત અને બેટી બચાઓ બેટી પઢાઓનો સંદેશ

રેલનગરમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના છત્રપતિ શિવાજી ટાઉનશીપ (એલઆઇજી) ખાતે મા આદ્યશકિત પર્વની ઉજવણી પ્રાચીન ગરબીના આયોજન સાથે થઇ હતી. અહિ નવેય નોરાતામાં બાળાઓએ અવનવા રાસ રજૂ કર્યા હતાં. મહિષાસૂર વધ રાસનું ખુબ આકર્ષણ રહ્યું હતું. સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાનનો સંદેશો પણ આ ટાઉનશીપ દ્વારા અપાયો હતો. જેને લઇને ૭૨.૭ બિગ એફની ટીમના આરજે વિનોદ પણ અહિ સાતમા નોરતે આવ્યા હતાં અને રાસ માણ્યા હતાં. આયોજનને સફળ બનાવવા આલોકનાથ પાંડે, મુકુંદરાય જાની તથા તમામ સભ્ય ભાઇ-બહેનોએ અને રહેવાસીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)