Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા નવરાત્રી મહોત્સવમાં વડીલ વંદના

રાજકોટઃ ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમમાં પ્રતિવર્ષ એક દિવસીય નવરાત્રી મહોત્સવ જાજરમાન રીતે યોજવામાં આવે છે. જેનાં ભાગરૂપે દશેરાનાં પવિત્ર દિવસે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે હરિપર સ્થિત ગારડી બી.એડ. કોલેજના છાત્રો તેમજ સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી માધ્યમની આઇ.એલ.ટી.બી.એડ. કોલેજનાં છાત્રો તેમજ સંસ્થાના પરિવારના સભ્યો જોડાયા હતા. રાસોત્સવનાં પ્રારંભે શહેર શ્રેષ્ઠીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. એક દિવસીય નવરાત્રી મહોત્સવનું દીપ પ્રાગટય દ્વારા ઉદઘાટનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેસાણી, ફુલછાબ દૈનિકના વ્યવસ્થાપક નરેન્દ્રભાઇ ઝીબા, જૈન શ્રેષ્ઠી અમીનેષભાઇ રૂપાણી, કામધેનુ આયોગનાં ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયા, સીઝન્સ હોટલનાં માલિક વેજાભાઇ રાવલીયા, જાણીતા ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા, સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મિરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સહકારી અગ્રણી પુરૂષોતમભાઇ પીપળીયા,બીનાબેન કુંડલીયા, આઇ.એમ.એ. ના ડો.ચેતન લાલસેતાસ,ડો.મયંકભાઇ ઠકકર, ડો.પિયુષ ઉનડકટ, શિક્ષણશાસ્ત્રી ડી.વી.મહેતા, દર્શીતભાઇ જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ગારડી બી.એડ.કોલેજના છાત્રો દ્વારા વડીલ વંદના કરવામાં આવી ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ''દીકરાનું ઘર''નો આ નવતર પ્રયોગ સંસ્કારલક્ષી પ્રયોગ આવકારદાયક રહ્યો હતો. મહોત્સવ મોડી રાત્રી સુધી ચાલ્યો હતો. જેમાં વિજેતા થનાર તમામને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. તમામ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અપાયા હતા. આ પ્રસંગે યુવા અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, ચિમનભાઇ માટલીયા, પ્રવિણભાઇ પાંભર, ભરતભાઇ હપાણી, હરીસિંગભાઇ સુચરીયા, યુવા ધારાશાસ્ત્રી કમલેશભાઇ શાહ, ડાયાલાલ કેશરીયા, ભરતભાઇ ભીંડોરા, અજ્યભાઇ ગઢીયા, નિરજભાઇ મહેતા, રાજુભાઇ દોશી, પી.ડી.અગરવા, દીગુભા વાઘેલા, જાણીતા બિલ્ડર વિનુભાઇ પીઠડીયા, રાજુભાઇ બાટવીયા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કિરીટભાઇ પાઠક, જૈન શ્રેષ્ઠી સંદીપભાઇ મહેતા, નિતીનભાઇ કામદાર, ઉમેશભાઇ શેઠ, આનંદભાઇ વેકરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણશાસ્ત્રી પુષ્પાબેન રાઠોડ, રમાબેન હેરભા, રમેશભાઇ જીવાણી, જયંતભાઇ પટેલ, કિર્તીબેન પોપટ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જૈન શ્રેષ્ઠી ડોલરભાઇ કોઠારી, સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા મુકેશ દોશી, કિરીટભાઇ આદ્રોજા, અનુપમ દોશી, ડો.નિદત બારોટ, ઉપેનભાઇ મોદી, સુનીલ વોરા, નલિન તન્ના, સુનીલ મહેતા, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ પટેલે સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આશીષ વોરા, હરીશભાઇ હરીયાણી, ડો.હાર્દિક દોશી, વિમલ પાણખણીયા, હિતેષ માવાણી, ચિંતન વોરા, અશ્વિનભાઇ પટેલ, રાકેશભાઇ ભાલાળા, પ્રવિણ હાપલીયા સહિતનાએ સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન મુકેશ દોશી તેમજ ડો.ભાવનાબેન મહેતાએ કરેલ. અંતમાં વંદે માતરમ દ્વારા રાષ્ટ્રભકિતનાં માહોલ સાથે કાર્યક્રમ યશસ્વી રીતે સંપન્ન થયો હતો.

(3:46 pm IST)