Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મનહરપુરમાં પંખો રીપેર કરતી વખતે કરંટ લાગતા રહીમભાઇ મુલતાણીનું મોત

રાજકોટ, તા. ૧૧ : શહેરના જામનગર રોડ પર મનહરપુર પૃથ્વીરાજ પાર્કમાં વીજ કરંટ લાગતા મુસ્લિમ યુવાનનું મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ મનહરપુરમાં પૃથ્વીરાજ પાર્કમાં રહેતા રહીમભાઇ મહંમદભાઇ મુલતાણી  (ઉ.વ.૪પ) ગઇકાલે પોતાના ઘરે પંખો રીપેર કરતા હતાં ત્યારે વીજ કરંટ લાગતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક રહીમભાઇ રૂ પીંજવાનું કામ કરે છે તને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. બોઘાભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)