Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મોરબીના બગથળામાં દાઝી જતાં કિશોર પરેશાનું મોત

રાજકોટ તા. ૧૧: મોરબીના બગથળા ગામે રહેતાં કિશોર ભવાનભાઇ પરેશા (ઉ.૩૦) નામના યુવાનનું દાઝી જતાં મોત નિપજ્યું છે.

કિશોર તા. ૭ના સાંજે ચારેક વાગ્યે ઘરે ચા બનાવતો હતો ત્યારે સ્ટવમાં ભડકો થતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કાગળો કરી મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(1:21 pm IST)