Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભગીરથ સોસાયટીમાં નરેન્દ્ર પ્રજાપતિની દૂકાનમાંથી ચોરી

રાજકોટ તા. ૧૧: સામા કાંઠે ભગીરથ સોસાયટીમાં પ્રજાપતિ યુવાનની ઇમિટેશનની દૂકાનમાંથી ચોરી થતાં ફરિયાદ થઇ છે. બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ પર ગઢીયાનગર-૩માં રહેતાં નરેન્દ્ર ધીરૂભાઇ જાગાણી (ઉ.૨૯) નામના પ્રજાપતિ યુવાનની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.

નરેન્દ્ર જાગાણીએ ફયિરાદમાં જણાવ્યું છે કે મારે ભગીરથ મેઇન રોડ પર પંચશીલ વિદ્યાલય સામે જય ખોડિયાર ઇમિટેશન નામે દૂકાન છે અને ત્યાં ચાર કારીગરો રાખીને કામ કરુ છું. જેમાં એક મારા સાળા પણ છે. ૨૮/૯ના રાતે સાડા અગિયારેક વાગ્યે હું મારી દૂકાનેથી મારા સાળા અમિત મંડલી સાથે દૂકાન વધાવીને નીકળ્યો હતો. ૨૯મીએ દૂકાને આવતા તાળા તૂટેલા દેખાયા હતાં. ઇમિટેશનનો સામાન વેરવિખેર હતો. તપાસ કરતાં ૧૫૦૦૦નો સામાન જોવા મળ્યો નહોતો. અંદરના ભાગે તપાસ કરતાં ઇમિટેશનનો અન્ય વેસ્ટેજ માલ પણ ગાયબ હતો. કુલ પંદરેક હજારનો માલસામાન ચોરાયો હતો. ચોરી બાબતે મેં પહેલા ઘરમેળે તપાસ કરી હતી. હવે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ એમ. એમ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(1:21 pm IST)