Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આપાગીગાના ઓટલે મા ભગવતીની આરાધના : દશેરા પર્વની ઉજવણી

'જય આપાગીગા'નો નાદ ગુંજ્યો : નોરતામાં દરરોજ હવન સહિતના કાર્યક્રમો યોજાયા : નરેન્દ્રબાપુ અને પાંચાળ પંથકના સંતો - મહંતોના હસ્તે રોકડ - ભેટ પૂજા - લ્હાણી પ્રસાદ વિતરણ : ૧૯૪ ગરબી મંડળની ૮૫૪૨થી પણ વધુ બાળાઓએ માતાજીની આરાધના કરી, અન્નકોટ - મહાપ્રસાદનો લાભ લીધો : ભવ્યાતિભવ્ય ધર્મોત્સવનું સમાપન : લોકપ્રીય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી- લોક ગાયિકા પૂનમ ગોંડલીયા અને લોક ગાયક વિશાલ વરૂએ પોતાના સૂરોથી જમાવટ કરી

રાજકોટ, તા. ૧૧ : ૧ ૮ વરણીની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સમાન શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા ખાતે પરમ પૂજય શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની પ્રેરણા અને આશીર્વાદ સાથે ભવ્યાતિ ભવ્ય દશેરા મહોત્સવનું આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયેલ. સતાધારની વર્ષો જુની માનવતાની પરંપરાને આગળ વધારતા શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા ખાતે મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ ના માર્ગદર્શન હેઠળ પ્રથમ નોરતાથી દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોરે સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો દ્વારા દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગ્લય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેની પૂર્ણાહુતી સ્વરૂપે દશેરાના શુભ દિને ધાર્મિક મહોત્સવની ઉજવણી દશેરાએ કરવામાં આવી હતી.

આ દશેરા મહોત્સવમાં રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર પંથકની ૧૯૪ જેટલા ગરબી મંડળોની ૮૫૪૨ થી પણ વધુ બાળાઓએ સુપ્રખ્યાત લોક સાહીત્યકાર કિર્તીદાનભાઇ ગઢવી, પુનમ ગોંડલીયા, વિશાલ વરૂ સાથે ગરબી મહોત્સવમાં અનેરૂ આકર્ષણ જમાવ્યુ હતુ અને માં ભગવતીની આરાધના કરી હતી. આ સાથે પાંચાળ પંથકના સેંકડો સાધુ સંતો મહંતોએ દરેક બાળાઓને આર્શીવાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે અન્નકોટ મહાપ્રસાદનું ઉપસ્થિત દરેક માં ભગવતીના સ્વરૂપ દિકરીઓને તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ દરેક ગરબી મંડળના સંચાલકો, દરેક ગરબી મંડળની બાળાઓ, દરેક ધર્મપ્રેમી માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો,બાળકો તેમજ દરેક કાર્યકતા ભાઇઓ-બહેનો એ પણ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.

જગત જનની અખિલ બ્રહ્માંડની અધિશ્ચરી માતાના નવલા નોરતાની ઉજવણીમાં સમગ્ર્ધમપ્રેમી જનતા ભકિતમય બની ચુકી છે. ત્યારે શ્રી આપાગીગાના ઓટલે પણ નવરાત સુધી સતત ધાર્મિક આયોજનનો ધમધમાટ જોવા મળી રહયો હતો. આ તમામ ધર્મ મહોત્સવનો રોજે રોજ લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી લાભ લીંધલ હતો ત્યારે શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે વિવિધ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) આપવામાં આવી હતી. આ સમગ્ર મહોત્સવ દરમિયાન રોજે રોજ ઉપસ્થિત તમામ ભાવિકજનો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. તેમજ આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રી આપાગીગાના ઓટલે ૨૪ કલાક વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજના હજારો લોકો દ્વારા મહાપ્રસાદનો લાભ લઇ  રહયા છે. ભારતીય સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશની અંદર ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ હોય દરેક ધાર્મિક તહેવારોનું ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી પણ કરવામાં આવે છે. આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્યું હતુ.

દશેરા નિમિત્ત્।ે આયોજીત આ મહાયજ્ઞ અને સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત સંતો મહંતો દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત કલાકારો દ્વારા ગરબા ગાઇને માં ભગવતીની આરાધના શરૂ કરવામાં આવી હતી.

આ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ નંબર પર આવેલ ભરૂચિ ગરબી મંડળ - રાજમોતી મીલ, રાજકોટ ને રૂ. ૧૧૧૧૧, દ્વિતિય નંબર પર આવેલ નવદુર્ગા દશામાં ગરબી મંડળ - મોરબી જકાતનાકા, રાજકોટ ને રૂ. ૭૭૭૭, તૃતિય નંબર પર આવેલ નવદુર્ગા ગરબી મંડળી - જશરાજ નગર મવડી રૂ. ૫૫૫૫  પુરસ્કાર ઇનામ આપવામાં આવ્યા હતા. આ સિવાય સિલેકટ અન્ય ૧૧ ગરબી મંડળોને રૂ. ૨૫૦૦ પ્રોત્સાહીત પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સુરેન્દ્રનગર રાજકોટ શહેરના રાજકીય, સામાજીક ક્ષેત્ર તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે ધાર્મીક જગ્યાના સંતોમાં બાવન વીર હનુમાન મોલડી જગ્યાના મહંત શ્રી દાદબાપુ, જુના અખાડાના આંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ગોપાલગીરી બાપુ મેશરીયા ધામના મહંતશ્રી બંસીદાસ બાપુ, ગેડીયા ઠાકર આશ્રમના મહંતશ્રી, ખેરડી જગ્યાના મહંતશ્રી જગુબાપુ, વોલ મઢ માતાજી મંદિરના મહંતશ્રી શાંતીદાસ બાપુ ખેરડી, ચકાબાપુ ચોટીલા તેમજ વિવિધ અખાડાઓના અને સીતારામ સાધુઓ વગેરે હજારોની સંખ્યામાં સંતો મહંતોએ આ તકે ખાસ ઉપસ્થિત રહેલ હતા.

શ્રી આપાગીગાના ઓટલે થતી વિવિધ સેવાકિય પ્રવૃતીઓમાં દરેક લોકો માટે ર૪-કલાક અવિરત મહાપ્રસાદ, તહેવારો નિમિત્ત્।ે ભજન તેમજ સંતવાણી તથા મહાપ્રસાદનું આયોજન, દર વર્ષે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન લઘુરૂદ્રાભિષેક, મહાપૂજા, તેમજ ભગવાન ભોળાનાથને બિલીપત્ર ચડાવવાનું આયોજન,દર અષાઢી બીજે ધ્વજા રોહણનું ભવ્યાતી ભવ્ય આયોજન,ચોટીલા જતા તેમજ દરેક પદયાત્રીકો અને તમામ સમાજ માટે વિસામો તેમજ ભોજનની વ્યવસ્થા, શ્રી આપાગીગાના ઓટલાના માધ્યમથી ગાયોની સેવાકાજે નિર્મિત વિશાલ ગૌ શાળાનું સંચાલન અને ગૌ સેવા અને ગૌ સંવર્ધનની પ્રવૃતિઓ, શ્રી આપાગીગાના ઓટલા પર વિવિધ શૈક્ષણીક સેમીનારોનું આયોજન જેમા પી.એસ.આઇ., એ.એસ.આઇ. કોન્સ્ટેબલ, જેલ સીંપાઇ, તલાટી, બેન્કીંગ, રેલ્વે જેવી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કલાસ ર-૩-૪ માટે વિનામુલ્યે રહેવા-જમવાની સગવડ સાથે અવિરત પાગે તાલીમ કેમ્પના આયોજનો,દર શિવરાત્રી નિમિતે જુનાગઢ મેળામાં અવિરત ભોજન પ્રસાદનું આયોજન, શ્રી આપાગીગાના ઓટલે સર્વ જ્ઞાતિ સમુહ લગ્નમાં ૧૫૩ દિકરીઓના સંપૂર્ણ કરીયાવર સાથે તદ્દન વિનામુલ્યે સમુહલગ્નનું આયોજન તેમજ વિવિધ પ્રકારની સામાજીક તેમજ ધાર્મિક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે.

રાજકોટની શ્રેષ્ઠ ૧૧ ગરબીઓને વિશેષ રોકડ ઈનામ

(૧) ભરૂચી ગરબી મંડળ- રાજમોતી મીલ, રાજકોટ, રૂ.૧૧,૧૧૧(૨) નવદુર્ગા દશામા ગરબી મંડળ- મોરબી જકાતનાકા, રાજકોટ રૂ.૭,૭૭૭ (૩) નવદુર્ગા ગરબી મંડળ- મવડી જશરાજ નગર- ૧, રાજકોટ રૂ.૫,૫૫૫ (૪) મારૂતિ ગરબી મંડળ- રાજકોટ રૂ.૨,૫૦૦ (૫) રિધ્ધી- સિધ્ધી ગરબી મંડળ- રાજકોટ રૂ.૨,૫૦૦ (૬) શ્રી આઈની આરાધના રાજકોટ રૂ.૨૫૦૦ (૭) શ્રી ચામુંડા ગરબી મંડળ રાજકોટ, રૂ.૨,૫૦૦  (૮) નવદુર્ગા ગરબી મંડળ- ભાવનગર રોડ, રાજકોટ રૂ.૨,૫૦૦ (૯) જય ભવાની ગરબી મંડળ રાજકોટ રૂ.૨,૫૦૦ (૧૦) નવદુર્ગા ગરબી મંડળ ભગવતીપરા, રાજકોટ રૂ.૨૫૦૦ (૧૧) નવદુર્ગા ગરબી મંડળ વિશ્રાંતી નગર, રાજકોટ રૂ.૨,૫૦૦

હજારો દીકરીઓ આપાગીગાના ઓટલે રાસે રમી, આહલાદક અવસર હતોઃ નરેન્દ્રબાપુ

રાજકોટ : દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આપાગીગાના ઓટલે નવલા નોરતામાં ધર્મોત્સવ સંપન્ન થયો છે. દશેરાના પવિત્ર દિને ગાયક કલાકારો કિર્તીદાન ગઢવી, પૂનમ ગોંડલીયા અને વિશાલ વરૂએ સુરો પીરસી જમાવટ કરી હતી તો ૧૯૪ જેટલી ગરબી મંડળની ૮૫૪૨થી વધુ બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવતા ધર્મમય માહોલ બની ગયાનું પૂ.નરેન્દ્રબાપુએ જણાવ્યુ હતું. તેઓએ જણાવેલ કે આ અવસરે તમામ દીકરીઓને સંતો મહંતોના હસ્તે રોકડ ભેટ પૂજા આપવામાં આવી હતી. આ સિવાય ૧૧ ગરબી મંડળને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા.

(1:20 pm IST)