Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ટ્રેનની રાઇડ્સમાં બેઠેલા ૧૪ વર્ષના મોહિત ઝરીયાને વિજકરંટ લાગ્યો

ભૂપેન્દ્ર રોડ બાલાજી મંદિરે ગજાનન ગણપતિ ઉત્સવમાં આવ્યો'તો

રાજકોટ તા. ૧૧: રાત્રીના ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર કમ્પાઉન્ડમાં બિરાજમાન ગજાનન ગણપતિ મહોત્સવમાં પરિવારજનો સાથે દર્શન માટે આવેલા એક ટેણીયાને ટ્રેનની રાઇડ્સમાં બેઠો ત્યારે વિજકરંટ લાગતાં સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો.

ગોંડલ રોડ પર કલ્યાણ સોસાયટીમાં રહેતો મોહિત પરેશભાઇ ઝરીયા (ઉ.૧૪) રાત્રે અગિયારેક વાગ્યે બાલાજી મંદિર કમ્પાઉન્ડમાં ગણપતિ ઉત્સવમાં દર્શને આવ્યો હતો. અહિ તેને ટ્રેનની રાઇડ્સમાં બેસાડાતાં કરંટ લાગતાં મંદિરના સેવાભાવી યુવાને હોસ્પિટલમાં ખસેડતાં ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. રાતે જ સારવાર બાદ રજા અપાઇ હતી.

(1:17 pm IST)