Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બેભાન હાલતમાં ત્રણના મોત

નવલનગરના જયેશભાઇ, રાજકોટના હડાળાના વેલજીભાઇ અને કોઠારીયાના મહેશભાઇએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: નવલનનગર-૩માં રહેતાં જયેશભાઇ દત્તારામ સેલાર (ઉ.૩૬) રાત્રે ઘરે બેભાન થઇ જતાં અને રાજકોટના હડાળાના વેલજીભાઇ મુળજીભાઇ ગડારા (ઉ.૭૨) પણ સાંજે ગામમાં દૂકાને બેઠા-બેઠા બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેએ દમ તોડી દીધો હતો.

ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રેલ્વે સ્ટેશન સામે રહેતાં મહેશભાઇ વાલજીભાઇ ગોહેલ (ઉ.૪૩) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેણે પણ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે કુવાડવા પોલીસ, માલવીયાનગર અને આજીડેમ પોલીસને જાણ કરતાં એડી નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૫)

(3:54 pm IST)