Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

હીના મહેતા હત્યા કેસમાં સ્કૂલ સંચાલક શાંતિલાલ વિરડીયા અને વિજય જેલહવાલે

રાજકોટ તા. ૧૧: જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશન ગોડાઉન રોડ પર મધુરમ્ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૩માં ચોથા માળે રહેતાં  વિધવા વણિક મહિલા હીનાબેન રાજેશભાઇ મહેતા (ઉ.વ.૪૮)ની હત્યા સબબ પકડાયેલા માયાણીનગરમાં રહેતાં સ્કૂલ કોલેજોના સંચાલક એવા લેઉવા પટેલ પ્રોૈઢ શાંતિલાલ હરદાસભાઇ વીરડીયા (ઉ.૫૩) અને તેના મિત્ર પરપ્રાંતિય મિત્ર વિજય શ્રીઆધ્યા રાય (ઉ.૩૭)ને રિમાન્ડ પત્યે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બંનેને જેલહવાલે કરવા હુકમ થયો છે.

તાલુકા પોલીસે લાઇટ બીલના આધારે મહિલાની ઓળખ મેળવ્યા બાદ તપાસ કરતાં ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી હતી. પોલીસે હત્યામાં વપરાયેલુ દોરડુ, સ્કોર્પિયો કાર કબ્જે કર્યા છે. તેમજ બીજા પુરાવા એકઠા કર્યા છે. હીનાબેનની લાશનું જામનગર ખાતે રિ-પોસ્ટ મોર્ટમ પણ કરાવાયું છે. જેનો રિપોર્ટ અઠવાડીયા-દસ દિવસ પછી આવશે.

ગત સાંજે રિમાન્ડ પુરા થતાં બંનેને કોર્ટ હવાલે કરવામાં આવતાં જેલહવાલે કરવા હુકમ થયો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ વી. એસ. વણઝારા, પીએસઆઇ જી.એસ. ગઢવી, રાઇટર પદુભા રાણા સહિતની ટીમે તપાસ કરી હતી. (૧૪.૫)

(11:45 am IST)