Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નેચરોપથીને વિશેષ મહત્‍વ આપો

રાજકોટ, તા.૧૧: નેચરોપથી દ્વારા સારવારને સમગ્ર દેશમાં હમેંશા વધુમાં વધુ મહત્‍વ તમામ જાતના રોગોની સારવાર માટે આપવામાં આવે, નવી સરકારી નેચરોપથી યુનિવર્સિટી, નેચરોપથી કોલેજ રાજકોટ સહિત દેશના મહત્‍વના ભાગોમાં ઉભી કરવા, જેનુ સંપૂર્ણ સંચાલન ગર્વમેન્‍ટ દ્વારા જ કરવા, એઇમ્‍સ કરતા વધુ વિશાળ, ઉતમ સુવિધાવાળી નેચરોપથી હોસ્‍પિટલ રાજકોટ સહિત જુદી, જુદી જગ્‍યાએ ઉભી કરવામાં આવે.

જેમાં તમામ રોગોની આંતર રાષ્‍ટ્રીય કક્ષાની સારવાર દરેક દર્દીને ખૂબ જ ઓછા દરે (ટોકન ફીમાં) ઉપલબ્‍ધ કરવા, આ હોસ્‍પિટલમાં ઓર્ગેનીક ઢબે શાકભાજી ઉગાડી ત્‍યાં તેનો ઉપયોગ કરવા, નેચરોપની રાષ્‍ટ્રીય રીસર્ચ સેન્‍ટર સ્‍થાપવા, તથા એકયુપ્રેશર થેરાપીના સર્ટીફીકેટ, ડીપ્‍લોમાં, ડીગ્રી કોર્ષ ખૂબ જ નજીવી ફીમાં તમામ યુનિ.દ્વારા શરૂ કરવા, કેન્‍દ્ર રાજયના આરોગ્‍ય, શિક્ષણ મંત્રીશ્રીને એન.એન.ખાને પત્ર પાઠવી સુચનો, વિનંતી કરી છે.

(5:01 pm IST)