Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

પ્ર.નગરમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા એલ. એલ. ચાવડા

રાજકોટ તા. ૧૧: રાજકોટ શહેરમાં બદલી પામીને આવેલા ચાર પોલીસ ઇન્સ્પેકટર પૈકીના એસીબીમાંથી આવેલા પીઆઇ એલ. એલ. ચાવડાને પ્ર.નગર પોલીસમાં ઇન્ચાર્જ તરીકે નિમણુંક આપવામાં આવી છે. પીઆઇ વી. એસ. વણઝારા રજા પર હોઇ તેમની જગ્યાએ શ્રી ચાવડાને મુકાયા છે. અગાઉ ૨૦૧૭માં એ-ડિવીઝન પોલીસ મથકમાં ડી. સ્ટાફ પીએસઆઇ તરીકે ખુબ જ પ્રશંસનીય કામગીરી એલ. એલ. ચાવડાએ કરી હતી. પ્રમોશન બાદ  રાજકોટ શહેરમાં હવે પીઆઇ તરીકે હાલ ઇન્ચાર્જ તરીકે મુકવામાં આવ્યા છે.

(3:13 pm IST)