Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

'સંપર્ક સે સમર્થન' અભિયાન અંતર્ગત વોર્ડ નં. ૧૪માં સ્ટે. ચેરમેન ઉદય કાનગડ દ્વારા સંપર્ક

રાજકોટ તા. ૧૧:  રાષ્ટ્રના વિકાસ પુરૂષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ અનેકવિધ વિકાસ કામો અને સિધ્ધીઓથી ચરપૂર ૪ વર્ષ પુરા થતાં તેની ઉજવણી નીમીતે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાહર્ટીના આગેવાનો દ્વારા વરીષ્ઠ નાગરીકો, બોૈધધીકો, વેપારી આગેવાનો વિગેરેનો સંપર્ક કરવામાં આવી  રહ્યો છે. તેદનુસાર પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૪ માં કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ દ્વારા સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવેલ.જેમાં વોર્ડનાશ્રેષ્ઠીઓ, વેપારી આગેવાનો, વકીલો, વિગેરેનો સંપર્ક કરી પત્રીકા તથા પુસ્તીકાનું વિતરણ કરી કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અને સરકારની સિધ્ધીઓથી માહીતગાર કરવામાં આવેલ. આ' સંપર્ક સે સમર્થન' અભિયાનમાં વોર્ડના આગેવાનો તથા પક્ષના હોદેેદારો સાથે જોડાયા હતા.(૩.૧૪)

(4:19 pm IST)