Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અભિનેતા ગિરીશ કર્નાડનું નવિનચંદ્ર શાહે ચિત્ર બનાવી શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટઃ જાણીતા અભિનેતા ગિરિશ કર્નાડનું દુઃખદ અવાસન થયું છે. રાજોટના જાણીતા કલાકાર (રિટાયર એસ.બી.આઈ) નવિનચંદ્ર શાહ દ્વારા ગિરીશ કર્નાડનું ચિત્ર બનાવી શ્રદ્ધાંજલી અર્પણ કરેલ. નવીનભાઈએ પોતાની લાઈવ સ્કેચ બનાવવાની કલાથી લગભગ ૧૨૦૦ ખ્યાત નામ કલાકારો, રાજવીઓ, અભિનેતા, રાજનેતા તથા અન્ય ધાર્મિક ગુરૂઓના લાઈવ સંકેત બનાવી તેઓ પાસેથી હસ્તાક્ષર કરાવ્યા. ચિત્રો સાથે આવો હસ્તાક્ષરનો સંયોજન કરનાર તેઓ માત્ર એક જ કલાકાર હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)