Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રાજકોટના ૩૫ અનાથ ભુલકાઓને કુલુ મનાલી ફરવા લઇ જતુ સમાજ સુરક્ષા

રાજકોટઃ શહેરના અનાથ આશ્રમ તથા અન્ય સંસ્થાઓમાં રહેતા ૩પ જેટલા બાળકોને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આજથી ૭ દિવસ કુલુ મનાલીના પ્રવાસે લઇ જવાયા છે. સમાજ કલ્યાણ અધિકારી શ્રી કનકસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ગોઠવાયો હતો. આજે કુલુ-મનાલી જતી બસને કલેકટર શ્રી રાહુલ ગુપ્તા અને એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાએ વિદાયમાન આપી પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)