Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જામનગરથી રાજકોટ આવેલા મનોજ નેપાળીને સાળા લાલા ભરવાડે ધોકાવ્યો

જંગલેશ્વરના મેદાનમાં ભેગા થઇ જતાં જામી પડી

રાજકોટ તા. ૧૧: જામનગર રહેતાં નેપાળી યુવાનને રાજકોટના જંગલેશ્વરમાં તેના સાળા ભરવાડ શખ્સે મિત્ર સાથે મળી મારકુટ કરતાં સારવાર લેવી પડી હતી.

મુળ રાજકોટનો અને હાલ જામનગર સાત રસ્તા પટેલ સમાજ પાસે રહી પગીપણું કરતો મનોજ ભરતભાઇ આહુજા (નેપાળી) (ઉ.૨૫) ગઇકાલે રાજકોટ જંગલેશ્વરમાં આવ્યો હોઇ અહિ તેનો સાળો લાલો ગંગદાસભાઇ ભરવાડ અને લાલાનો મિત્ર ભેગા થઇ જતાં જુના મનદુઃખને લીધે બોલાચાલી થતાં સાળા સહિતના બંનેએ ઢીકા-પાટુનો અને ધોકાનો માર મારતાં સિવિલમાં દાખલ થયો હતો. ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગરે મનોજની ફરિયાદ નોંધી હતી. મનોજની બહેન મનિષાએ લાલા ભરવાડ સાથે લવમેરેજ કર્યા છે. (૧૪.૯)

(12:59 pm IST)