Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજકોટમાં રમઝાન ઇદની નમાઝ ઘરે જ અદા કરવા મુસ્લિમ આગેવાનોને બેઠકમાં સૂચન કરાયું: પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે બેઠક મળી

રાજકોટઃ આગામી રમઝાન ઇદના તહેવાર નિમિત્તે આજરોજ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ  તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ  તથા ડીસીપી ઝોન 2 શ્રી મનોહરસિંહ જાડેજા અને એસીપી  પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરાના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમુદાયના આગેવાનોની મીટીંગ બોલાવી વિસ્તારમાં આવેલ ઈદગાહ મસ્જીદમાં મુસ્લિમ બિરાદરોને ઇદની નમાઝ અદા ન કરવા તેમજ આ તહેવાર નિમિત્તે રમઝાન ઇદની નમાજ પોતાના ઘરેથી જ અદા કરવા સુચના આપવામાં આવી હતી. તેમજ સરકારએ જાહેર કરેલ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી.

(8:56 pm IST)