Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરાના દર્દીઓને માં કાર્ડ અને આયુષ્યમાન યોજનામાં સારવાર આપો

ખાનગી હોસ્પિટલોને આ અમલવારી તાકિદે કરવા વશરામભાઇ-મકબુલ દાઉદાણીની રજુઆત

રાજકોટ તા. ૧૧ :  મા-અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ કોવીડ-૧૯ ના દર્દીઓને સારવાર આપવા પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ કમીશ્નરને પત્ર પાઠવી રુજુઆત કરી છે.

આ અંગે વશરામભાઇ અને મકબુલ દાઉદાણીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે  માં અમૃતમ-આયુષ્માન ભારત યોજના હેઠળના કાર્ડ ધરાવતા લોકોને કોઇપણ હોસ્પીટલમાં કોરોનાની સારવાર આપવામાં આવશે. પરંતુ આજદિન સુધી આ નિર્ણયનો અમલ કરવામા ન આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી છે. 

વધુમાં વશરામભાઇ સાગઠીયા અને દાઉદાણીએ જણાયું હતું કે, મધ્યમ વર્ગીય દર્દી નારાયણને સરકારની અને કોર્પોરેશનની ગેરસમજને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.તો વહેલી તકે આ અંગે યોગ્ય નિર્ણયની અમલવારી કરવા માંગ કરી છે.

(3:57 pm IST)