Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જામનગર રોડ પર રસ્તો બંધ કરી દેવાતા અનેક સોસાયટીના રહેવાસીઓ હેરાન-પરેશાન

રાજકોટ, તા, ૧૧: જામનગર રોડ પર આવેલ પાંચથી ૬ સોસાયટીના રહેવાસીઓનો મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા આ રસ્તો ખોલાવવા મ્યુ. કમિશ્નરને સોસાયટીના રહેવાસીઓએ રજુઆત કરી હતી.

રહેવાસીઓએ રજુઆતમાં જણાવેલ કે ગાંધી સોસાયટી, વોરા સોસાયટી, પરાસર પાર્ક, સત્યમ સોસાયટી શિવમ સોસાયટી, સુંદર સોસાયટી, કૃષ્ણનગર વિગેરેનાં રાહદારીઓનો રસ્તો બંધ કરી દઇને દિવાલ ઉભી કરવામાં આવેલ છે. જેથી ઉપરોકત સોસાયટીનાં લોકોને ખુબ જ હેરાનગતિ અને મુશ્કેલી ઉભી થઇ છે, તથા ઉપરોકત સોસાયટીના લોકોને રસ્તો પસાર કરવા બહુ મોટો રાઉન્ડ લેવો પડે છે, જેથી ઇમરજન્સી સમયમાં કોઇપણ સ્થળનાં પહોંચી શકાય, આપ ઉપરોકત રસ્તાની દિવાલ ખુલ્લી કરી તાત્કાલીક ધોરણે પ્રશ્ન હલ કરવા માંગે છે.

(3:57 pm IST)