Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મનહરપરામાં બે ભાઇઓ સુનિલ અને અજયને પાડોશી જાદવે ધોકાથી ધોકાવ્યા

ગાળો બોલવાની ના પાડતાં જાદવ સહિતનું ટોળુ તૂટી પડ્યાનો આરોપ

રાજકોટ તા. ૧૧: ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ પાસે મનહરપરા-૮માં રહેતાં અને છુટક મજૂરી કરતાં સુનિલ હરિભાઇ બાબરીયા (ઉ.વ.૩૫) અને અજય હરિભાઇ બાબરીયા (ઉ.વ.૨૮)ને પાડોશમાં રહેતાં જાદવ ચુનારા અને તેની સાથેના શખ્સોએ ધોકાથી માર મારતાં બંને ભાઇઓને માથા-હાથ-શરીરે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

સુનિલના કહેવા મુજબ તેના નાના ભાઇ અજયને પાડોશી જાદવ કારણ વગર ગાળો દેતો હોઇ અને માથાકુટ કરતો હોઇ પોતે તેને સમજાવવા જતાં પોતાને અને ભાઇ અજય એમ બંનેને જાદવ તથા તેની સાથેના શખ્સોએ ધોકાથી માર માર્યો હતો. 

નાડોદાનગરમાં પ્યારેલાલને બે નશાખોરે નાનકડા ગેસના બાટલાથી ફટકાર્યો

કોઠારીયા રોડ નાડોદાનગરમાં રહેતાં મુળ યુપીના પ્યારેલાલ દર્શનલાલ ભરવાડ (ઉ.વ.૨૮)ને રાતે નશો કરીને ઘર પાસે સુતો હતો ત્યારે અજાણ્યા નશાખોરોએ ઝઘડો કરી નાનો રાંધણગેસનો બાટલો ઉઠાવી માથા-મોઢા પર ફટકારતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગાળાગાળી બાદ હુમલો થયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીનસે ાજણ કરી હતી.

(1:00 pm IST)